ઉત્તરાયણ પર્વને લઇને રાજકોટ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપ્યો મહત્વનો આદેશ?
ઉત્તરાયણ પર પતંગ ચગાવવાને લઈને રાજકોટ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. રાજકોટમાં પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ નહી રાખો તો દંડાશો. શહેરમાં જાહેરમાર્ગ, રસ્તા, ફૂટપાથ પર પતંગ ઉડાવી શકાશે નહીં. રસ્તામાં પતંગ ઉડાવી શકાશે નહીં. આ જાહેરનામું 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.