Rajkot: રાજકોટ ફેરવાયું બેટમાં, 40થી વધુ ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી | Abp Asmita | 16-5-2025

Rajkot: રાજકોટ ફેરવાયું બેટમાં, 40થી વધુ ઘરોમાં ઘુસ્યા વરસાદી પાણી | Abp Asmita | 16-5-2025

રાજકોટમાં ગુરુવારે દોઢ ઇંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું હતું. શહેરમાં દોઢ ઇંચ વરસાદથી ગવલીવાડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ગવલીવાડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું હતું. ગવલીવાડની બાજુમાં આવેલા પાણીના વોકળાનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જે દરમિયાન શોપિંગ કોમ્પલેક્ષ અને ઝાડ સહિતનો કચરો ફસાઈ જતા પાણીનો નિકાલ બંધ થઈ ગયો હતો અને તેને કારણે આસપાસના 40 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. અહીં 4000 જેટલા લોકો વસવાટ કરે છે અને તેઓ દર વર્ષે ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરે છે. સ્થાનિકોએ પ્રશાસનની બેદરકારીના કારણે ઘરવખરીને નુકસાન થયું છે. ત્યારે નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી.             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola