રાજકોટમાં ફરી જળસંકટ સર્જાવાના એંધાણ, આજીડેમમાં 2 મહિના ચાલે તેટલું જ પાણી
રાજકોટમાં જળસંકટ સર્જાવાના એંધાણ છે. આજી ડેમમાં બે મહિના અને ન્યારી ડેમમાં 6 મહિના ચાલે એટલું જ પાણી છે. પાણી માટે રાજકોટ ફરી એક વખત સૌની યોજના પર નિર્ભર છે. આજીડેમમાં 31 માર્ચ સુધી ચાલે એટલું જ પાણી વધ્યું છે. ન્યારી ડેમમાં 15 જૂન સુધી ચાલે એટલું પાણી છે.