રાજકોટની ઉદય શિવાનંદ અગ્નિકાંડ મામલે 5 ડોક્ટરો સામે ગુનો દાખલ, પોલીસ કરી શકે છે ધરપકડ
રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે ડોક્ટર પ્રકાશ મોઢા સહિત પાંચ તબીબો સામે ગુનો દાખલ કરાયો હતો. હોસ્પિટલમાં અનેક મુદ્દે બેદરકારી દાખવાતા ગુનો નોંધાયો હતો. ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં પાંચ દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા હતા. ત્રણ ડોક્ટરોને રાઉન્ડ અપ કરાયા હતા. પૂછપરછ બાદ પોલીસ ધરપકડ કરી શકે છે. આગ લાગવા પાછળનું કારણ નિષ્ણાતોના અભિપ્રાય બાદ જ સ્પષ્ટ થશે