Surat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકાર

Surat Building Collapse Updates: સુરતના સચિન પાલી ગામમાં શનિવારે (6 જુલાઇ) એક અકસ્માત થયો હતો. અહીં એક છ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ, જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા. ફાયર અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન, સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પારેકે જણાવ્યું હતું કે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં 6 મૃતદેહો મળી આવ્યા છે.  એક મહિલા ને જીવિત બહાર કઢાઈ છે.  કાટમાળમાંથી કુલ સાત લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ એક જૂની ઈમારત હતી, જે જર્જરિત થઈ ગઈ હતી અને અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. છ માળની આ ઈમારતમાં 35 રૂમ હતા, જેમાં પાંચથી સાત પરિવારો જીવ જોખમમાં મુકીને રહેતા હતા. મળતી માહિતી મુજબ, આ આખી ઈમારતની માલિક એક વિદેશી મહિલા છે અને કોઈ અહીં રૂમ ભાડે રાખતી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola