Chaitar Vasava Protest: પોલીસ અને AAP ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે તુ તુ મૈં મૈં, શું છે મામલો?

Chaitar Vasava Protest: પોલીસ અને AAP ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે તુ તુ મૈં મૈં, શું છે મામલો?

એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સામે 15 તારીખ ના રોજ 34 દુકાનો નું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં આજે આદિવાસી સમાજના લોકોએ રેલી અને આવેદનપત્ર આપવાનું નક્કી હતું. આજે વહેલી સવારથી જ નર્મદા જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર જડબેસલાક પોલીસનો  બંદોબસ્ત ગોઠવી દઈ સ્ટેચ્યુ જતાં તમામ વાહનોનું  સઘન ચેકિંગ  હાથ ધરી દેવાયું હતું .  બીજી  બાજુ  ચૈતર વસાવા અને આદિવાસી સમાજના લોકોને ઝરવાણી ખાતે રોકી દેવામાં આવ્યા હતા. ત્યાં પોલીસ જોડે ઘર્ષણ પણ થયું હતું. એસ પી નર્મદાને ચૈતર વસાવાએ ફોન પણ કર્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન નિષ્ફળ રહે તે માટે નર્મદા પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. જોકે આવેદનપત્ર આપવા માટે સિમિત માણસો સાથે જવા પોલીસે ચૈતર વસાવાને મંજૂરી આપી હતી. વિરોધ પ્રદર્શન કરવા માટે મંજૂરી આપી નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola