સુરતના ઓલપાડમાં ગેરકાયદે ઝિંગા તળાવને લઈ પ્રશાસન એક્શનમાં
સુરત : ઓલપાડની ઝીંગાતળાવ પર આવતીકાલેથી બુલડોઝર ફરી વળશે. ગેરકાયદેસર ઝીગાં તળાવને દૂર કરવાની નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર ની ફોજ મેદાનમાં ઉતરશે. ડીમોલેશન માટે મામલતદાર પોલીસ સહિત ટિમ સામગ્રી સાથે સજ્જ કરાઈ છે. 27મી જાન્યુઆરી એ ઓલપાડના મંડરોઇ ગામથી બ્યુલટોઝર ફેરવવાના નિર્ણયથી જમીન માફિયા ઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.