Surat: હીરાના કારખાના બંધ કરવા નીકળેલા અધિકારીઓનો લોકોએ હુરિયો બોલાવ્યો
સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાના ચાલુ હોવાનો મેસેજ મળતા અધિકારીઓ તપાસ કરવા પહોંચ્યા. તો રત્નકલાકારોએ કર્મચારીઓને ભગાવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ હીરાના કારખાના ચાલુ હોવાની તપાસ કરવા પહોંચતા જ લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. લોકોએ કર્મચારીઓને દોડાવ્યા હતા. અધિકારીઓ હીરાના કારખાના બંધ કરાવવા પહોંચ્યા હતા જ્યાં તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો..