'લોકો એવી પણ ચર્ચા કરતા હોય છે કે નરેશભાઈ આવે તો હાર્દિકને નહીં ગમે' હાર્દિકે આવું કેમ કહ્યું?
abp asmita
Updated at:
08 Mar 2022 03:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત ખાતે હાર્દિક પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ રાજકારણ માં જોડાવવાની વાતો ચાલી રહી હતી. સારા માણસો રાજકારણમાં આવે એ જરૂરી છે. નરેશભાઈ સમાજના આગેવાન છે. નરેશભાઈએ રાજકારણમાં આવી શ્રીગણેશ કરવા જોઈએ. નરેશભાઈએ સમાજનો અવાજ ઉઠાવ્યો છે. નરેશભાઈના નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળશે તો કામ કરવા તૈયાર છું. નરેશભાઈ રાજકારણ માં જોડાશે તો સૌને આનંદ થશે. આજનો મારો પત્ર નિસ્વાર્થ ભાવે લખ્યો છે. એવી ચિંતા ન કરવી જોઈએ કે કોણ શુ વિચારશે. નરેશ પટેલને પત્ર લખ્યો છે કોઈ ને લવ લેટર નથી લખ્યો.