શંકરસિંહ વાઘેલા કોગ્રેસમાં જોડાય તો કોગ્રેસને ફાયદો કે નુકસાન? શું છે સુરતના પત્રકારોનો મત?
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થશે તેને લઇને ધબકારના તંત્રી પરેશ વરિયાએ કહ્યું કે, AAP વિઝન સાથે ઉતરી છે. આપ નેતાનો ચહેરો લઇને પ્રવેશ કરી રહી છે. 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થશે. ગુજરાત ગાર્ડિયનના તંત્રી મનોજ મિસ્ત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આપ મજબૂતીથી ચૂંટણી લડશે. શંકરસિંહ વાઘેલાને (Shankarsinh Vaghela) લઇને તેમણે કહ્યું કે પહેલા જેવું પરિણામ મેળવવું બાપુ માટે મુશ્કેલ છે.