સુરતના પાલ ઉમરા તાપી બ્રિજ નજીક નડતરરુપ મિલકત હટાવવાની કામગીરી તેજ
સુરત : પાલ ઉમરા તાપી બ્રિજ નજીક નડતરરૂપ મિલકત હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી છે. JCB દ્વારા મકાનો તોડવામાં આવી રહ્યાં છે. પાલ ઉમરા બ્રિજ નો માર્ગ મોકળો કરવા કામગીરી હાથ ધરાઈ છે. ગઇકાલે અસરગ્રસ્ત લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. કાલે 6 લોકો ની અટકાયત કરાઈ હતી. કાટમાળ હટાવી 4 મહિનામાં તાપી બ્રિજ નું કામ પૂર્ણ કરાશે. 15 લાખ લોકો ને આ તાપી બ્રિજ થી લાભ મળશે.