'અમે ચૂંટણીનો તમાશો કર્યો તો લોકોએ પણ લગ્નો કર્યાં જ છે ને ? ' રૂપાણી સરકારના મંત્રીએ લોકોને ગણાવ્યા દોષિત, જુઓ વીડિયો
સુરત : રાજ્ય સરકારના મંત્રી કુમાર કાનાણીએ કોરોના વધતા પાછળ જનતા પર દોષનો ટોપલો ઢોળ્યો છે. લોકોએ કહ્યુ કે નેતાઓનાં કારણે કોરોના વકર્યો છે તો કુમાર કાનાણીએ કહ્યુ કે નેતાઓએ નિયમો તોડ્યા. પરંતું લોકોએ પણ લગ્ન સમારંભ સહિતનાં કાર્યક્રમો કરીને નિયમો તોડ્યા. બધાની નાની -મોટી ભૂલ થઈ છે. આવું કહીને નેતાઓની કરતૂત પર ઢાંક પીછોડો કરતા જનતા પર વધુ ઢોળ્યો દોષનો ટોપલો.