Surat | Narayan Sai | દુષ્કર્મી નારાયણ સાંઈને દાંતના દુખાવાને લઈને લવાયો સુરત સિવિલ હોસ્પિટલ

Continues below advertisement

સુરતની લાજપોર જેલમાં બંધ દુષ્કર્મી નારાયણ સાઈ મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો. નારાયણ સાંઈની દાંતમાં દુખાવાની સતત ફરિયાદો રહેતી હોય છે. ત્યારે આજે દાંતની સારવાર કરાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહેલોમાં રહેતા નારાયણ સાઈ છેલ્લા 11 વર્ષથી જેલમાં છે અને બીમારીઓનું ઘર બની ગયો છે.

બંદોબસ્ત સાથે જ નારાયણ સાઈને લઈ જવામાં આવ્યો
સુરત નવી સિવિલ હોસ્પિટલથી મળતી માહિતી મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કેદી નારાયણ સાઈને નવી સિવિલ હોસ્પિટલમાં દાંત વિભાગમાં લઈ જવાયો હતો. પાકા કામના કેદી નારાયણ સાઈને જેલના કપડા પહેરાવવાને બદલે સાદા ડ્રેસમાં લવાયો હતો. તેમના હાથમાં હથકડી પણ નહોતી. જો કે, સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્ત સાથે જ નારાયણ સાઈને લઈ જવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram