Surat: વકરતા સંક્રમણ વચ્ચે રેસિડન્ટ તબીબોનું આવતીકાલથી કેમ હડતાળનું કર્યું એલાન ? જુઓ વીડિયો
એકબાજુ સુરત (Surat)માં કોરોના વકરી રહ્યો છે. ત્યારે બીજુ બાજુ આવતીકાલે રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ડોક્ટરોની માંગ છે કે, તેમનું સ્ટાઈપેન્ડ વધારવામાં આવે. છેલ્લા 1 સપ્તાહ થી રજુઆત કરવામાં આવી રહી છે. છતાં આજદિન સુધી કોઈ ઉકેલ નથી. ગઈકાલે સ્પેશિયલ અધિકારી મિલિંદ તોરવને ને પણ રજુઆત કરાઈ હતી.