Gandhinagar: રાજભવનમાં ચાલી રહેલા કોરોના સેવાયજ્ઞ હેઠળ ફ્રન્ટલાઈન વર્કર્સને કીટ વિતરણ
રાજભવન દ્વારા ચાલી રહેલા "કોરોના સેવાયજ્ઞ" અંતર્ગત રાજ્યના એક લાખ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજવસ્તુઓની કીટ અપાશે. કોરોના સેવા યજ્ઞ નો આજથી પ્રારંભ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી દશ હજાર કિટના પ્રથમ જથ્થાને રાજ ભવન ખાતેથી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવી.