સુરતમાં વધતા કોરોનાના કેસ વચ્ચે લોકો હજુ પણ બેદરકાર, ચૌટાબજારમાં નિયમોના ધજાગરા
સુરતમાં કોરોના વિસ્ફોટ છતાં ચૌટા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ ભેગી કરવાનું જનતા સીઆર પાટીલની રેલીમાંથી શીખી છે. પાલિકાએ પાંડેસરા વિસ્તારમાં બજાર બંધ કરાવ્યા પણ ચૌટા બજાર બંધ કરાવ્યું નહીં. જેને પગલે અહીં ભારે ભીડ ઉમટી હતી. લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.