કોરોનાની દહેશત: સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈ ડૉક્ટર સમીર ગામી સાથે ખાસ ચર્ચા
રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ સુરત શહેરમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 205 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 2 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3837 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ આંક 194402 પર પહોંચ્યો છે.