સુરતઃ આ વિસ્તારોમાં બે દિવસ રહેશે પાણીકાપ, શું છે પાણીકાપનું કારણ?
સુરતના ગોડાદરા, ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં પાણી કાપ રહેશે. આજે અને આવતીકાલ બે દિવસ માટે પાણીનો કાપ રહેશે. વીજ લાઈનની કામગીરી ચાલતી હોવાથી વીજ પુરવઠો ન મળતા પાણીકાપ રહ્યો છે. જેનાથી હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.