Harsh Sanghavi : ગરબામાં અશ્લીલતા ફેલાય તે બિલકૂલ ચલાવી લેવામાં નહીં આવે

Continues below advertisement

Harsh Sanghavi : ગરબામાં અશ્લીલતા ફેલાય તે બિલકૂલ ચલાવી લેવામાં નહીં આવે 


ગરબા પંડાલમાં અશ્લીલ હરકત કરનારને જેલ નક્કી. ગરબામાં અશ્લીલતા ફેલાવનારા સામે કડક કાર્યવાહીના આદેશ. અશ્લીલતા ફેલાવનારા સામે કડક કાર્યવાહીની પોલીસને સૂચના. ગરબામાં અશ્લીલતા ફેલાય તે બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે, તેમ સંઘવીએ કહ્યું હતું. અશ્લીલતા ફેલાવનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.

Full night Garba Gujarat: નવરાત્રીના પાવન પર્વ દરમિયાન આ વર્ષે રવિવારે આવતા સાતમા નોરતે રાજ્ય સરકારે ફુલનાઇટ ગરબા રમવાની વિશેષ છૂટ આપી છે. આ છૂટ દેશની સેના દ્વારા હાથ ધરવામાં આવેલા સફળ 'ઓપરેશન સિંદૂર'ને સન્માન આપવા અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી છે.

સરકાર દ્વારા લોકોને આ સાતમા નોરતાની ઉજવણી 'ઓપરેશન સિંદૂર'ની થીમ પર કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે, જેમાં દુર્ગાની પૂજા સાથે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળશે.

આ રાત્રે, રાત્રિના ૧૧ વાગ્યાથી ૧૧:૧૦ વાગ્યા સુધી તમામ લોકો એકસાથે ઊભા રહીને દેશના જવાનોને વિશ્વ વિક્રમ કરવા બદલ અભિનંદન પાઠવશે અને તેમને પ્રોત્સાહન આપશે. આ નિર્ણયથી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સાયબર ક્રાઈમનું 'મેગા ઓપરેશનસફળ

ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે એક મેગા ઓપરેશન હાથ ધરીને દેશના વિવિધ રાજ્યોમાં મોટી સંખ્યામાં ગુના આચરનાર અને ₹૮૦૪ કરોડની ઠગાઈ કરનાર આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મેગા ઓપરેશનની સફળતા અંગે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું.

ઓપરેશનની વિગતો અને સફળતા

મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સાયબર ક્રાઈમ દ્વારા ખૂબ જ ગુપ્તતાથી આ મેગા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. આ રેકેટ દુબઈ અને વિયેતનામ જેવા દેશોમાં બેસીને ઓપરેટ કરતું હતું.

આ રેકેટે કુલ ૧૫૪૯ ગુના આચરીને ₹૮૦૪ કરોડની ઠગાઈ કરી હતી.

દુબઈમાં બેસેલા મુખ્ય આરોપીને જરા પણ ગંધ ન આવે તે રીતે આ ઓપરેશન પાર પડાયું હતું.

પોલીસે લેયર ૧ થી લેયર ૬ સુધીના તમામ આરોપીઓને એક સાથે પકડી પાડ્યા છે. આ આરોપીઓ મોટા પાયે વધુ લોકોને સાયબર ક્રાઈમનો શિકાર બનાવવાની ફિરાકમાં હતા.

સાયબર ક્રાઈમ અને નાગરિકોની સતર્કતા

ગૃહરાજ્ય મંત્રીએ ગુજરાત સાયબર ક્રાઈમની ટીમને રાજ્યના નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, ખૂબ ટૂંકા સમયગાળામાં સાયબર ક્રાઈમના બનાવોમાં ઘટાડો થયો છે અને લૂંટાયેલા રૂપિયા બ્લોક કરવાના કિસ્સામાં વધારો થયો છે.

સાયબર ક્રાઈમ દ્વારા કરાયેલા સર્વેમાં સામે આવ્યું છે કે, છેલ્લા ૬ મહિનામાં સૌથી વધુ કેસ લોભ-લાલચ આપીને છેતરપિંડીના થયા છે. મંત્રીએ રાજ્યના નાગરિકોને ચેતવ્યા હતા કે, "રાતોરાત રૂપિયા ડબલ થઈ જાય તેવી લાલચમાં ન આવવું." તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "ડિજિટલ રેસ્ટોરન્ટ" જેવી કોઈ સિસ્ટમ અસ્તિત્વમાં નથી અને તેમાં સિનિયર સિટીઝન સૌથી વધુ ફસાય છે.

તેમણે અંતમાં કહ્યું કે, "સાયબર ક્રાઈમની ટીમને ઘણી સફળતા મળી છે, પરંતુ સંપૂર્ણ સફળતા માટે રાજ્યના નાગરિકોએ સતર્ક રહેવાની અને આવી લાલચોથી દૂર રહેવાની જરૂર છે."

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola