અમદાવાદઃ સિંધુભવન રોડ પર દબાણ હટાવવાની કામગીરીનો સ્થાનિકો અને VHPએ કર્યો વિરોધ
અમદાવાદના સિંધુ ભવન રોડ પર AMC દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રોડ પર આવેલા મેલડી માતાના મંદિરને ગેરકાયદેસર કહીને તેને તોડવામાં આવ્યું હતુ. મંદિર તોડતા સ્થાનિક લોકો અને એએમસીના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. લગભગ 120 વર્ષ જૂના મંદિરને તોડવામાં આવે તો લોકોની લાગણી દુભાય જેથી ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવાની ફરજ પડી હતી જેમાં મંદિરના પૂજારીની અટકાયત પણ કરવામાં આવી હતી.