Trump tariffs on India : અમેરિકા સાથે બગડતા સંબંધો પર ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાના નિર્ણય બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધી રહ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, આ તણાવનું મૂળ કારણ ટ્રમ્પની એક અસામાન્ય માંગ હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે જૂનમાં ફોન પર PM મોદીને તેમના નામનું નોબેલ પુરસ્કાર માટે નોમિનેશન કરવાની વિનંતી કરી હતી. આ માંગથી PM મોદી નારાજ થયા હતા, અને ત્યાર પછી જ ટ્રમ્પે ભારત પર આકરા ટેરિફ લાદ્યા હોવાનું મનાય છે.

ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, 17 જૂન, 2025 ના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન ટ્રમ્પે તેમની ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામમાં મધ્યસ્થીના બદલામાં તેમને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જણાવ્યું હતું. આ માંગને પગલે PM મોદી ગુસ્સે થયા અને તેમણે સ્પષ્ટ કર્યું કે આ યુદ્ધવિરામમાં અમેરિકાનો કોઈ હાથ નહોતો. આ ઘટના બાદ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી અને થોડા અઠવાડિયા પછી જ ટ્રમ્પે ભારત પર 50% સુધીનો ટેરિફ લાદી દીધો, જેનાથી વેપારી સંબંધોમાં મોટો ફટકો પડ્યો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola