PM Justin Trudeau| કેનેડિયન PMની અક્કલ આવી ગઈ ઠેકાણે, જાણો શું કર્યો સ્વીકાર?

Continues below advertisement

ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવના સમાચાર વચ્ચે જસ્ટિન ટ્રુડોએ મોટી કબૂલાત કરી હતી. ટ્રુડોએ સ્વીકાર્યું કે કેનેડાએ નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા ભારતને આપ્યા નથી. ટ્રુડોએ સ્વીકાર્યું હતું કે તેમણે નિજ્જર હત્યાકાંડ સાથે સંબંધિત માત્ર ગુપ્ત માહિતી ભારતને આપી હતી. ટ્રુડોની આ કબૂલાત મહત્વની છે કારણ કે એક તરફ કેનેડા દાવો કરી રહ્યું છે કે તેણે નિજ્જર હત્યાકાંડ સાથે જોડાયેલા પુરાવા ભારતને આપ્યા છે. ભારતે આ દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કેનેડાએ નિજ્જરની હત્યા સંબંધિત કોઈ પુરાવા આપ્યા નથી.

નોંધનીય છે કે ગત વર્ષે કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને કેનેડા સરકાર દ્વારા આ ઘટનામાં ભારતની સંડોવણીના આરોપો બાદ બંને દેશો વચ્ચેનો તણાવ હવે કોઈનાથી છૂપાયેલો નથી. બંને દેશોએ એકબીજાના છ-છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે.

PM Justin Trudeau| કેનેડિયન PMની અક્કલ આવી ગઈ ઠેકાણે, જાણો શું કર્યો સ્વીકાર?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram