'રૂપાણી અમિત શાહના રિમોટ કંન્ટ્રોલથી ચાલે છે', થરાદમાં રાહુલનો આરોપ

થરાદઃ બનાસકાંઠાના થરાદમાં રાહુલ ગાંધીએ રેલી સંબોધી હતી. અહીં રાહુલે જીએસટી, નોટબંધીને લઇને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું કે, જય શાહે 50 હજાર રૂપિયામાંથી 80 કરોડ રૂપિયા બનાવ્યા છે. 

વધુમાં રાહુલે કહ્યું કે, મોદીએ તમારા બેન્ક એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવશે તેવું વચન આપ્યું હતું પરંતુ અત્યાર સુધીમાં તમારા ખાતામાં 15 પૈસા પણ આવ્યા નથી. રાહુલે મુખ્યમંત્રી રૂપાણીને અમિત શાહના ઇશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલે કહ્યું કે, અમિત શાહ જેમ રિમોટ ચલાવે તેમ રૂપાણી ફરે છે. 

રાહુલે કહ્યું કે, ગુજરાતની જનતાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે મને યાદ કરજો હું પાંચ મિનિટમાં અહી ંઆવી જઇશ. રાહુલે કહ્યું કે, ફિલ્મની જેમ બીજેપીની વિકાસ યાત્રા પણ ફ્લોપ થઇ ગઇ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola