રાજનાથ સિહંની પાક.ને ચેતવણી કહ્યું- આતંકવાદ બંધ કરે નહીં તો તેના ટૂકડા થવાથી કોઈ નહીં રોકી શકે, જુઓ વીડિયો
સુરત: રક્ષામંત્રી રાજનાથ સિંહે કાશ્મીર અને આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર લગામ રાખવી જોઈએ. નહીં તો કોઈ પણ તેના ટુકડા થવાથી રોકી શકશે નહીં. રાજનાથ સિંહે શનિવાર રાત્રે સુરતમાં 122 શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારજનો માટે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે જો પાકિસ્તાન સાથે વાત થશે તો ફક્ત આતંકવાદ ખતમ કરવા અને POK પર જ થશે.