કોંગ્રેસમાં છઠ્ઠી વિકેટ પડીઃ માનસિંહ પરમારે કોંગ્રેસના ધારાસભ્યપદેથી આપ્યું રાજીનામું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં આજે વધુ ત્રણ ગાબડાં પડ્યા છે. આજે વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે અધ્યક્ષ રમણલાલ વોરાને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આ પછી ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે પણ રાજીનામું આપી દીધું છે. ગઈ કાલે કોંગ્રેસમાંથી બળવંતસિંહ રાજપૂત, તેજશ્રીબેન પટેલ અને પી.આઇ. પટેલે રાજીનામું આપ્યું હતું. આમ, અત્યાર સુધીમાં કોંગ્રેસમાંથી કુલ છ રાજીનામા પડી ગયા છે. રાજીનામા પછી બળવંતસિંહ રાજપૂતે ભાજપમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આઠમી ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાંથી કોંગ્રેસ માટે મુસીબત ઉભી થઈ છે. કોંગ્રેસમાંથી અહમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે.