મોડાસાઃ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પોતે નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી નહીં લડે તેવા સંકેત આપ્યા છે. શંકરસિંહ બાપુએ અરવલ્લી જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી લડવા અંગેના સવાલનો આપેલો જવાબ એ ચૂંટણી નહીં લડે તેના સંકેતરૂપ મનાય છે.