સાણંદઃ આજે નેનો પ્લાન્ટને તાળાબંધી, શું કહ્યું અલ્પેશ ઠાકોરે? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે આજે સાણંદ સ્થિત નેનો પ્લાન્ટને તાળાબંધીનું એલાન કર્યું છે. ઠાકોરે જણાવ્યું હતું કે, 23મીની સવારે 9 વાગ્યે હજારો બેરોજગાર યુવાનોને સાથે લઈને નેનો પ્લાન્ટની તાળાબંધીનો કાર્યક્રમ થશે. અલ્પેશે સાણંદ વિસ્તારના 50થી વધારે સરપંચોનું તાળાંબંધીમાં લેખિત સમર્થન હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો દાવો છે કે, તાળાબંધીના વિરોધમાં સાણંદ તાલુકાના 35 ગામના સરપંચો છે. આ અંગે અલ્પેશે કહ્યું હતું કે, તંત્ર દ્વારા સરપંચો પાસે કોરા કાગળો પર સહી કરાવી લેવામાં આવી છે. ઘણા સરપંચો એવા છે કે તેમને ખબર નથી કે સરકાર તેમના નામ લઈ રહી છે.
Continues below advertisement