રાજકોટમાં બે જૂથો વચ્ચે મારામારી, 15થી વધુ ઈજાગ્રસ્ત
રાજકોટ: શહેરના રામનાથ પરા માં આવેલ ભવાની નગર વિસ્તાર અલગ અલગ બે જૂથ વચ્ચે મોટી માથાકૂટ થઈ હતી. બે જૂથ વચ્ચે મારામારી થતા 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. એસીપી, ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓ સહિત ક્રાઇમબ્રાંચ, એસઓજીની ટીમો નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાને લઈને પોલીસ તૈનાત કરવામાં આવી છે.