હાર્દિકને સમર્થન આપવાનો પાટીદાર સંસ્થાઓનો વિરોધ, કહ્યું- તે પ્રાઇવેટ અનામત આંદોલન ચલાવે છે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ ઉપર બુધવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આકરા પ્રહારો કર્યા હતા. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સંયોજક સી.કે. પટેલે જણાવ્યં હતું કે, સરકારે પાટીદારોનીચાર માંગણીઓ સ્વીકારી લીધી છે. હાર્દિક અત્યારે જે આંદોલન ચલાવી રહ્યો છે કે તેનું પ્રાઈવેટ અનામત આંદોલન છે. અને સમાજના યુવાનોને ગુમરાહ કરી રહ્યો છે. અને તેની પાછળ કોંગ્રેસનો ટેકો છે.
સી.કે. પટેલે આરોપ લગાવ્યો હતો કે, હાર્દિક પટેલ રાજકીય રોટલો શેકી રહ્યો છે. પરંતુ સમાજ એને નહીં સ્વીકારે. સમાજના ગુમરાહ થયેલા પાટીદાર યુવાનોને પાછા લાવવા માટે સમાજ દ્વારા વિવિધ પ્રયત્ન કરવામાં આવશે