રાજનીતિના નિષ્ણાત ખેલાડી કહેવાતા મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું છે.

મુલાયમ સિંહ યાદવ પોતાની રાજકીય કારકિર્દીમાં 7 વખત સાંસદ રહ્યા હતા.

માત્ર 15 વર્ષની નાની ઉંમરે તેમણે આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

મુલાયમ સિંહ યાદવને પ્રેમથી 'નેતાજી' કહીને સંબોધવામાં આવે છે.

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ તેમને 'લિટલ નેપોલિયન' કહેતા હતા.

મુલાયમ સિંહ યાદવ રામ મનોહર લોહિયાથી ખૂબ પ્રભાવિત હતા. રાજકારણમાં આવતા પહેલા તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા.

1996માં અટલ બિહારી વાજપેયીની સરકારના પતન પછી, તેમણે વડાપ્રધાન પદ માટે સોનિયા ગાંધીની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો.

1965માં મુલાયમ સિંહ યાદવે ઈટાવામાં એક કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કુસ્તી સ્પર્ધાએ મુલાયમ સિંહનું જીવન હંમેશા માટે બદલી નાખ્યું.

નાથુ સિંહ યાદવને મુલાયમ સિંહના રાજકીય ગુરુ કહેવામાં આવે છે.

પહેલીવાર વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મુલાયમ સિંહના સૈફઈ ગામમાં ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના માહોલમાં ગોળીબાર પણ થયો હતો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેની કેમેસ્ટ્રી ઘણી રસપ્રદ હતી.

Thanks for Reading. UP NEXT

ભારતના 10 સૌથી સ્વચ્છ શહેરમાં ગુજરાતનું પણ એક

View next story