સુહાગરાત પર પતિએ લોખંડના સળિયાથી કર્યો બળાત્કાર, જાણો પછી શું થયું
હોસ્પિટલમાં ડૉકટર્સને જ્યારે આ અંગે ખબર પડી ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટસ લખી. યુઝર્સમાં આ ઘટનાને લઇ ઉભરો જોવા મળ્યો. આરોપી શખ્સની માનસિક સ્થિતિ સારી નહોતી. પીડિતાના પરિવારજનોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ કર્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
લાહોરઃ પાકિસ્તાનમાં ગુરૂવારના રોજ જઘન્ય ગુનાનો એક કિસ્સો સામે આવ્યો છે. સુહાગરાતના દિવસે પતિએ લોખંડના સળિયાથી પત્ની પર બળાત્કાર કર્યો હતો. ઘટના બાદ રિસેપ્શનના દિવસે જ મહિલાનું મોત થઇ ગયું. પોલીસ તપાસમાં પતિ માનસિક બીમાર હોવાનું જાણવા મળ્યું છે.
ફાતિમા શિરીન નામના ડોક્ટરે 13 જાન્યુઆરીના રોજ આ અંગે કેટલીક ટ્વિટસ કરી. તેમણે લખ્યું, “મારા એક દર્દીનું વધુ પડતું લોહી વહી જતા મોત થયું. કારણ કે ઘા ખૂબ જ ઊંડા હતા. અમે તેના પિતાને પોસ્ટમોર્ટમ માટે રાજી કરી લીધા છે. તેનો શૌહર મનોરોગી છે. તેને તેના શરીરમાં લોખંડના સળિયાથી બળાત્કાર કર્યો હતો.”
અન્ય એક ટ્વિટમાં તેણે કહ્યું કે “સુહાગરાત પર બળાત્કારનો શિકાર બનેલી મહિલાનનું મોત રિસેપ્શનના દિવસે જ થયું હતું. લોખંડના સળિયાથી બળાત્કાર થતાં તેનું મોત થયું. એવામાં આપણે આપણા બાળકોને સેક્સ અંગે જાગૃત કરવા જોઇએ કે નહીં? આપણા સમાજે ઢાંકણીમાં પાણી લઇ ડૂબી મરવું જોઇએ.”
આ ઘટનામાં સુહાગરાતના બીજા દિવસે જ પત્નીનું મોત થયું હતું.
ડોક્ટર ફાતિમાની આ ટ્વિટ થોડા સમયમાં જ વાઇરલ થઈ અને યુઝર્સ આ ઘટનાને લઈ બળાત્કારી પતિની ટિકા કરવા લાગ્યા.