મ્યાનમારઃ PM મોદીએ કાલી મંદિરમાં કર્યા દર્શન, બહાદુર શાહ ઝફરની મઝાર પર ચઢાવ્યા ફૂલ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મ્યાનમાર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. આજે તેમણે ભારતના અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરના મકબરા પર ચાદર ચઢાવી હતી. તે સિવાય વડાપ્રધાન મોદીએ યંગૂનમાં કાલી બારી મંદિરમાં દર્શન કર્યા હતા. આ અગાઉ મોદીએ સવારે મ્યાનમારમાં બૌદ્ધ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2500 જૂના શ્વેદાગોન પગોડાને દેશની સાંસ્કૃતિક વિરાસતની માનવામાં આવે છે. બૌદ્ધ બહુમતી ધરાવતા મ્યાનમારના ત્રણ દિવસીય દ્ધિપક્ષીય પ્રવાસના અંતિમ દિવસે મોદીએ આજે પગોડાના દર્શન કર્યા હતા. વડાપ્રધાને પગોડા પરિસરમાં એક બોધી વૃક્ષ લગાવવામાં આવ્યું હતું જે સંયુક્ત વિરાસતનું મહત્વ દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ ગઇકાલે બ્રિટિશ શાસન વિરુદ્ધ લડનારા લોકોના બલિદાનની યાદમાં એક ઇન્ડિયન નેશનલ આર્મી સ્મારક બનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધતા કહ્યું કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝે મ્યાનમારમાં ‘તુમ મુજે ખૂન દો ઔર મેં તુમ્હે આઝાદી દુંગા’નું આહ્મવાન કર્યું હતું અને હજારોની સંખ્યામાં પુરુષો અને મહિલાઓએ તેનો જવાબ આપ્યો હતો.
યંગૂનમાં રોયલ લેક (શાહી ઝીલ)ના પશ્વિમમાં સ્થિત પગોડાના મ્યાનમારના લોકો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ બૌદ્ધ સ્થળ માને છે. શરૂઆતમાં 8.2 મીટર જગ્યામાં બનેલા આ પગોડા હવે 110 મીટરના પરિસરમાં ફેલાઇ ગયા છે. પગોડા સોનાની સેંકડો ચાદરોથી ઢંકાયેલા છે જ્યારે સ્તૂપના ટોચ પર 4,531 હીરા જડાયેલા છે. સૌથી મોટો હીરો 72 કેરેટનો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -