ભારતમાં તો નહીં પણ પાકિસ્તાનમાં પદ્માવતને મળ્યું 'U' સર્ટિફિકેટ, હવે થશે રિલીઝ
ઇસ્લામાબાદઃ સંજય લીલા ભંસાળીની ફિલ્મ પદ્માવતને લઇને આખા હિન્દુસ્તાનમાં કરણી સેના દ્વારા વિરોધ થઇ રહ્યો છે, ત્યારે હવે પાડોશી દેશ પાકિસ્તાને આને 'U' સર્ટિફિકેટ આપી દીધું છે, એટલે કે ભંસાળીની ફિલ્મ ‘પદ્માવત’ હવે પાકિસ્તાનમાં રિલીઝ થવાની છે.
સેન્સર બોર્ડે ભારતમાં આ ફિલ્મને ‘UA’ સર્ટિફિકેટ આપ્યું, જ્યારે પાકિસ્તાને આને 'U' સર્ટિફિકેટ આપીને પોતાની વાત કહી. જે ફિલ્મ પર હિન્દુસ્તાનમાં પહેરો લાગ્યો છે તેને પાકિસ્તાનમાં આઝાદી આપી દીધી છે. સેન્સરે પાંચ મૉડિફિકેશન બાદ આને રિલીઝ માટે ગ્રીન સિગ્નલ આપ્યું. ફિલ્મમાં ગવાયેલું ઘૂમર ગીત પણ લોકોને ખુબ ગમ્યું છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ 'ટાઇગર જિંદા હૈ'ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સરે આ ફિલ્મને પાકિસ્તાનમાં રિલિઝ કરવાની અનુમતિ નથી આપી.
વિરોધની વાત કરીએ તો કરણી સેનાના ઉપદ્રવ બાદ ફિલ્મને લઇને હિંસક પ્રદર્શન શરૂ થઇ ગયા છે. આની ઝપટમાં હવે બાળકો પણ આવી ગયા છે. ગુરુવારે ગુડગાવમાં એક સ્કૂલ બસ પર કરણી સેનાના કેટલાક કાર્યકરોએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ બસ જી ડી ગોયનકા સ્કૂલની હતી.