પાકિસ્તાન જેને કુલભૂષણનો સાથી ગણાવે છે તે કરાચી અંડરવર્લ્ડનો બેતાજ બાદશાહ ઉઝૈર બલોચ કોણ છે?
નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ભારતીય જાસૂસ કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવ્યા બાદ દેશમાં લોકો ગુસ્સામાં છે. જ્યારે આ મામલાને ગંભીરતાથી લઈને ભારત પોતાના તરફથી કોઈ કસર છોડવા માગતું નથી. ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં કહ્યું કે, જો પાકિસ્તાન કુલભૂષને સજા આપશે તો તે અન્યાય થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએકબાજુ ભારતમં પાકિસ્તાન સેનાના આ નિર્ણયનો લોકો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ પાકિસ્તાનમાં કરાચીના ડોનની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની સેનાએ કરાચીના આ ડોનની કુલભૂષણ જાધવની મદદ કરવાના આરોપસર ધરપકડ કરી છે. મળતા અહેવાલ અનુસાર ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિનું નામ ઉઝૈર બલોચ છે. જેની ધરપકડ જાન્યુઆરી 2016માં કરાચીથી બહાર પીકિસ્તાની રેન્જર્સે એક તથાકથિત દરોડામાં કરી હતી. પાકિસ્તાની સેનાએ ઉઝૈર બલોચ પર દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે.
ટ્રાન્સપોર્ટરનો દીકરો બલોચ વર્ષ 2009માં પોલીસ એન્કાઉન્ટરમાં રેહમાન બલોચની હત્યા બાદ લ્યારીના અંડરવર્લ્ડમાં તેનું નામ ચર્ચામાં આવ્યું હતું. ત્યાર બાદ તેણે પોતાનું વર્ચસ્વ વધારવા પોતાના પ્રતિસ્પર્ધીઓની હત્યા કરાવી અને લ્યારી અને આસપાનસા વિસ્તારમાં પોતાની ધાક જમાવી.
કરાચીમાં ઉઝૈર પર હત્યા, ખંડણી, વિદેશી જાસૂસને છુપાવવા જેવા ગંભીર આરોપો તેના પર લાગ્યા છે. તેના પર અંદાજે 100 જેટલા કેસ નોંધાયેલ છે. તેમના પર પોતાના કન્ટ્રોલમાં આવતા વસ્તારમાં બલોચ ભાગલાવાદીઓને મદદ કરવાનો આરોપ પણ લાગ્યો છે.
ઉઝૈરને એન્ટી ટેરિરીઝન કોર્ટમાં દાખલ 45 કેસમાં ફરાર જાહેર કરવામાં આવ્યો છે જ્યારે 5 જુદા જુદા કેસમાં તેને છોડી મુકવામાં આવ્યો છે. વર્ષ 2013માં એક કેસના મામલે તે દેશ છોડીને ભાગી ગયો હતો. જોકે વર્ષ 2016ની 30મી જાન્યુઆરીના રોજ કરાચીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે પાકિસ્તાની રેન્જર્સે તેની ધરપકડ કરી હતી. પાકિસ્તાની આર્મીએએ તેનો કબ્જો હવે જાસૂસીના ગુના હેઠળ મેળવ્યો છે અને મિલીટ્રી કોર્ટમાં તેની સુનાવણી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -