પાકિસ્તાન ગુમ થયેલ પ્લેન એબોટાબાદ નજીક થયું ક્રેશ, Pakના જાણીતા ગાયક સહિત 47નાં મોત
જેમાં તમામ ૧૫૨ લોકોનાં મોત થયા હતા. જ્યારે ૧૯૯૨માં પાકિસ્તાની જેટ વિમાન નેપાળની રાજધાની કાઠમંડુ ખાતે તૂટી પડ્યું હતું જેમાં ૧૬૭ લોકોનાં મોત થયા હતા.
પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એર સેફ્ટી નબળી જોવા મળી છે. ૨૦૧૨માં ભોજા એરલાઈનનું એક પ્લેન ઈસ્લામાબાદ ખાતે ૧૨૧ પેસેન્જર્સ સાથે ક્રેશ થયું હતું. એ અગાઉ ૨૦૧૦માં એક ખાનગી એરલાઈન એરબ્લુનું વિમાન ખરાબ વિઝિબિલીટી પછી ક્ષતિગ્રસ્ત થતા ક્રેશ થયું હતું.
પાકિસ્તાનની રાષ્ટ્રીય એરલાઈન્સનું આ વિમાન બપોરે ૩.૩૦ વાગ્યે ચિત્રાલથી રવાના થયું હતું અને ઉડ્ડયન પછી તે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. સેનાની મીડિયા વિંગ અનુસાર સેનાની ટુકડીઓ અને હેલિકોપ્ટર્સને બચાવકાર્યો માટે દુર્ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક વિમાન એબોટાબાદ શહેર નજીક એક પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાન ૪૭ પ્રવાસીઓને લઈને રાજધાની ઈસ્લામાબાદ આવી રહ્યું હતું. ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ચિત્રાલથી ઈસ્લામાબાદ જતી વખતે એટીઆર વિમાન પીકે-૬૬૧ અકસ્માતગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૪૭ લોકો સવાર હતા.