કાબુલમાં શિયા મસ્જિદ પર આંતકી હુમલો, 28ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Aug 2017 02:59 PM (IST)
1
ત્રાસવાદી સંગઠને કહ્યું કે, અગાઉ પહેલી ઓગસ્ટ પશ્ચિમ શહેર હેરાતમાં મસ્જિદમાં થયેલા બેવડા આત્મઘાતી વિસ્ફોટમાં પણ અમે કર્યા હતા.
2
કાબુલ હોસ્પિટલોના પ્રમુખ મોહમ્મદ સલીમ રસોલીએ શનિવારે જણાવ્યું કે, શુક્રવારે થયેલા હુમલામાં 28 લોકોના મોત પામ્યા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે.
3
નવી દિલ્લી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા મસ્જિદ પર નમાજના સમયે થયેલા હુમલામાં 28 લોકોના મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. આ જાણકારી અફઘાનિસ્તાનના અધિકારીએ આપી હતી
4
જો કે, આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી છે. આ હુમલામાં ચાર આતંકી સામેલ હતા. તેમાંથી બે આતંકીઓ વિસ્ફોટમાં જ મરી ગયા હતા અને બીજા બે આતંકીને અફઘાન સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.