ઉત્તર કોરિયાએ ફરી જાપાન ઉપરથી છોડી મિસાઈલ, શિંઝો અબે કહ્યું – હવે સહન નહીં કરીએ
શિંઝો અબેએ કહ્યું કે, અમે આ ક્યારેય નહીં ચલાવી લઈએ કે, શાંતિ માટે આંતરરાષ્ટ્રીય સમુદાયના તે દ્દઢ અને એકજૂથ સંકલ્પને ઉત્તર કોરિયા પ્રભાવિત કરે જે સંયુક્ત રાષ્ટ્રએ જાહેરપત્રમાં રજૂ કર્યો છે. અમે આ હરકત સામે એકવાર ફરી એકસાથે છે.
જો કે, સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાને ન્યૂક્લિયર પરિક્ષણ બાદ પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ ઉત્તર કોરિયાએ જાપાન અને અમેરિકાની આકરી નીંદા કરી હતી.
તેમણે કહ્યું કે, જો ઉત્તર કોરિયા આ જ રસ્તા પર કાયમ ચાલશે તો તેનું કોઈ ભવિષ્ય નહીં રહે. ઉત્તર કોરિયાને આ સમજાવવું પડશે. ઉત્તર કોરિયાએ કરેલી બેલેસ્ટિક મિસાઈલ પરિક્ષણ જે ઉત્તર દ્વીપ હોક્કાઈદો ઉપરથી પસાર થઈ હતી.
ટોક્યો: ઉત્તર કોરિયાએ અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદ દ્વારા વારંવાર ચેતવણી બાદ પણ ફરી એકવાર બેલસ્ટિક મિસાઈલ છોડી છે. ઉત્તર કોરિયાએ પોતાની રાજધાની પ્યોંગયાંગથી આ મિસાઈલ છોડી છે. ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી આ બેલેસ્ટિક મિસાઈલ જાપાન ઉપરથી પસાર થઈ લગભગ 770 કિ.મી ઉપર થઈને પ્રશાંત મહાસાગરમાં પડી હતી. ઉત્તર કોરિયાએ સવારે 6:57 છોડી હતી.
એક મહિનાની અંદર ઉત્તર કોરિયાની બીજી વાર મિસાઈલ પરિક્ષણ કર્યું છે. અબેએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક એક બેઠક બોલાવી છે. તેમણે જોર આપતા કહ્યું કે, હવે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે એકજૂથ થવાનો સમય આવી ગયો છે.
જાપાનના વડાપ્રધાન શિંઝો અબેએ કહ્યું કે, જાપાન દુનિયાની શાંતિ માટે ભય પેદા કરનાર ઉત્તર કોરિયાની ખતરનાક અને ઉકસાવનારી હરકતોને ક્યારેય સહન નહીં કરે. ઉત્તર કોરિયાને સબક શીખવવાનો સમય આવી ગયો છે.