Snapchat સીઈઓએ ભારતને કહ્યો ગરીબ દેશ, ટ્વીટર પર આમ થયો ટ્રોલ
આ વાત ત્યારે બહાર આવી જ્યારે સ્નેપચેટના પૂર્વ કર્મચારી એંથોની પાંપ્લિઆનાએ લોસઅંજલસની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સ્નેપચેટ વિરૂદ્ધ કેસ કર્યો છે. એંથોનીનું કહેવું છે કે સ્પીગલે 2015માં સ્નેપચેટની ગ્રોથ રિપોર્ટ વધારીને રજૂ કર્યો હતો. એંથોનીએ અરોપ લગાવ્યો થે કે 2015માં સ્નેપચેટના આઈપીઓ આવતા પહેલા કંપનીના ગ્રોથ વિષે ખોટી જાણકારી આપવામાં આવી હતી. આઈપીઓ અંગે થયેલી બેઠકમાં સ્પીગલે ભારત અને સ્પેનને ગરીબ દેશ કહ્યા હતા. જ્યારે એંથનીએ ભારતમાં ઈંટરનેટ ફાસ્ટ હોવા છતાં એપના સ્લો ગ્રોથ પર સવાલ કર્યો ત્યારે ઈવાને વચ્ચેથી જ રોકીને આ એપ ધનીક લોકો માટે હોવાનું કહ્યું અને ભારત એક ગરીબ દેશ છે. આ પછી એંથનીને એક અસંતુષ્ટ કર્મચારી કહીને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
ભારત અંગે સ્પીગલે આપેલા નિદેવન બાદ ટ્વિટર પર #boycottsnapchat અને #uninstallsnapchat જેવા હેશટેગ્સ સાથે ટ્રોલિંગ શરૂ થયું હતું. લોકોએ આ એપને અનઈંસ્ટાલ કરવા અને ખરાબ રેટિંગ આપવાની અપીલ શરૂ કરી દીધી હતી. તેમજ સ્પીગલે આ મામલે માફી માગવી જોઈએ તેવી માગ પણ કરી હતી
ફોટો મેસેજિંગ અને મલ્ટી મીડિયા મોબાઈલ એપ સ્નેપચેટના સીઈઓ ઈવાન સ્પીગલના એક નિવેદને સોશિયલ મીડિયામાં હોબાળો મચાવ્યો છે. સ્નેપચેટના સીઈઓ સ્પીગલે કહ્યું હતું કે, આ એપ ધનીકો માટે છે માટે તે ભારત કે સ્પેન જેવા ગરીબ દેશોમાં તેને વધારવા માટે નથી વિચારતા. એક રિપોર્ટ અનુસાર સ્નેપચેટના ભારતમાં લગભગ 40 લાખથી વધારે યુઝર્સ છે.