Model Farming : હાલ ભારતીય ખેડૂતોની સામે આર્થિક પડકાર સૌથી મોટો છે. તેઓને પરંપરાગત ખેતીમાંથી જેટલો નફો મળવો જોઈએ તેટલો નફો વર્ષભરની તેમની મહેનત કરવા છતાયે મેળવી શકતા નથી. આ જ કારણ છે કે, હવે દેશના ખેડૂતો પરંપરાગત પાકની ખેતી છોડીને એવા પાકની વાવણી કરી રહ્યા છે જેમાંથી તેમને મોટો નફો મળે છે. આ પાકોમાં મેંથાનો પાક સૌથી વધુ લોકપ્રિય છે. તેને ભારતીય ખેડૂતો ગ્રીન ગોલ્ડ પણ કહે છે કારણ કે, તે સામાન્ય પાક કરતાં ત્રણ ગણો વધુ નફો આપે છે.


બની જશો 3 મહિનામાં કરોડપતિ
 
મેન્થાની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે, તેનો પાક ત્રણ મહિનામાં તૈયાર થઈ જાય છે. આ સ્થિતિમાં જો તમે લગભગ દસ એકરમાં આ પાકની ખેતી કરો છો, તો તમે માત્ર ત્રણ મહિનામાં કરોડપતિ બની જશો. ખરેખર મેન્થા હર્બલ ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેના તેલનો ઉપયોગ અનેક પ્રકારની દવાઓમાં થાય છે, તેથી બજારમાં તેની માંગ હંમેશા રહે છે.


ભારતમાં તેની ખેતી ક્યાં થાય છે?


ભારતમાં હાલમાં મુખ્યત્વે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબમાં મેન્થાની ખેતી કરવામાં આવે છે. આ રાજ્યોમાં ઘણા મોટા ખેડૂતો મોટા પાયે મેન્થાનું ઉત્પાદન કરે છે અને દર વર્ષે મોટો નફો કમાય છે. આ સ્થિતિમાં હવે સરકાર આ ખેતીને પ્રોત્સાહન આપી રહી છે જેથી સામાન્ય ખેડૂતો પણ તેની ખેતી સાથે જોડાઈ શકે અને તેઓ તેનાથી મોટો નફો મેળવી શકે.


મેન્થાની ખેતી ક્યારે કરવામાં આવે છે?


મેન્થાની ખેતી માટે ફેબ્રુઆરી શ્રેષ્ઠ મહિનો છે. જ્યારે આ પાક જૂનમાં લેવામાં આવે છે. એટલે કે આ પાક ત્રણથી ચાર મહિનામાં તૈયાર થઈ જાય છે. સૌથી સારી વાત એ છે કે, આ પાકને પરંપરાગત પાકોની જેમ વધુ સિંચાઈ અને કાળજીની જરૂર પડતી નથી. આ જ કારણ છે કે, ઉત્તર ભારતના મોટાભાગના ખેડૂતો આ પાક તરફ આગળ વધી રહ્યા છે.


અત્યાર સુધી તમે માણસો કે પ્રાણીઓ દારૂ પીતા સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય પાકને દારૂ પીતા જોયા છે. હા, મધ્ય પ્રદેશમાં પણ આવું જ થઈ રહ્યું છે. ત્યાંના ખેડૂતો હવે તેમના પાક પર દારૂ છાંટવા લાગ્યા છે. અહીં દારૂ પેવડાવવાનો અર્થ એ છે કે, પાક પર દારૂનો છંટકાવ શરૂ કરી દીધો. તેની પાછળ ખેડૂતો જે તર્ક આપી રહ્યા છે તે એવો છે કે તમે ભાગ્યે જ માની શકો. તો ચાલો જાણીએ મધ્ય પ્રદેશના ખેડૂતો આવું કેમ કરી રહ્યા છે.


ખેડૂતો પાકને દારૂ કેમ આપી રહ્યા છે?


મધ્ય પ્રદેશના નર્મદાપુરમનો આ કિસ્સો છે, ત્યાંના ખેડૂતો તેમના મગના પાક પર દારૂનો છંટકાવ કરી રહ્યા છે. ખેડૂતોની દલીલ છે કે, આમ કરવાથી તેમની ઉપજ બમણી થશે અને પાકને કોઈ જંતુઓ અસર કરશે નહીં. ખેડૂતોનું કહેવું છે કે,  દેશી દારૂના છંટકાવથી તેમના પાક પર કોઈ ખરાબ અસર થતી નથી અને ન તો પાક પર એવી કોઈ અસર થાય છે કે જે તેને ખાય છે તેમના માટે નુકસાનકારક છે. સૌથી મોટી વાત એ છે કે, આ કામ માત્ર નર્મદાપુરમના ખેડૂતો જ નહીં પરંતુ રાજ્યભરના વિવિધ જિલ્લાના ઘણા ખેડૂતો તેમના પાકની ઉપજ વધારવા માટે આમ કરી રહ્યા છે.