Animal Shelter: આજે લગભગ તમામ રાજ્યોમાં રખડતા ઢોરની સંખ્યા વધી રહી છે. જ્યારે આ પાળતુ જાનવર દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તેઓને શેરીઓમાં રખડતા મુકી દેવામાં આવે છે. બાદમાં તેઓ રસ્તાઓને જ પોતાનું આશ્રય સ્થાન બનાવી લે છે. આજકાલ આ રખડતા પશુઓ માર્ગો પર વધતા અકસ્માતોનું એક કારણ બની રહ્યા છે. આ પશુઓ ખેતરોમાં ઘુસીને પાકને પણ ભારે રંજાડ કરે છે. જેના કારણે ખેડૂતો માટે મોટી સમસ્યા ઉભી થાય છે. યુપી, બિહાર અને રાજસ્થાનમાં રખડતા ઢોરની સમસ્યા વધી રહી છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ ત્રણેય રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે કામ કરી રહી છે.


જોકે આ મામલે આખરે રાજસ્થાન સરકારે પણ મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે માત્ર ગ્રામ પંચાયતોમાં પશુ આશ્રયસ્થાનો અને ગાય આશ્રયસ્થાનો સ્થાપવાની જાહેરાત કરી છે. આ કામ મુખ્યમંત્રી સહભાગીતા યોજના હેઠળ કરવામાં આવશે. 


ગૌશાળા/પશુ આશ્રયસ્થાન કેવી રીતે બાંધવામાં આવશે?


રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી જનભાગીદારી યોજનાને મંજૂરી આપી છે. તેના પ્રથમ તબક્કામાં, 1,500 ગ્રામ પંચાયતોમાં ગાય આશ્રયસ્થાનો અને પશુ આશ્રયસ્થાનો બનાવવામાં આવશે, જેના માટે 1,377 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


આ યોજના હેઠળ જે તે ગ્રામ પંચાયતોમાં પ્રાધાન્યતાના આધારે પશુ આશ્રયસ્થાનો બનાવવામાં આવશે, જ્યાં તેને ચલાવવા માટે સક્ષમ વહીવટી એજન્સી (ગ્રામ પંચાયત, સ્વૈચ્છિક સંસ્થા) હાજર રહેશે. અહીં ગૌશાળા બનાવવા માટે એક કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. 


આ યોજના મુજબ, 90% રકમ રાજ્ય સરકાર અને 10% વહીવટી એજન્સી દ્વારા ઉઠાવવામાં આવશે. હાલ આ યોજના હેઠળ વર્ષ 2022-23માં રૂ. 183.60 કરોડના ખર્ચે 200 ગૌશાળાઓ અને વર્ષ 2023-24માં રૂ. 1,193.40 કરોડના ખર્ચે 1,300 ગ્રામ પંચાયતોમાં નિર્માણ થવાની છે.


ખેડૂતોને રખડતા પશુઓથી છુટકારો મળશે


રખડતા પશુઓની વધતી વસ્તીનો સૌથી મોટી કિંમત ખેડૂતોને ચુકવવી પડે છે. આ પ્રાણીઓ ખેતરોમાં જઈને પાકનો મોટા પાયે નાશ છે. પાક ઉત્પાદન લેવામાં આવે તે પહેલા જ પશુઓ ખેતરો સાફ કરી નાખે છે. આ રીતે આખી સિઝનમાં મહેનત કરતા ખેડૂતો નિરાશ થયા છે.


ઘણી વખત ખેડૂતો માટે આ નુકસાનનું વળતર સરભર કરવું પણ મુશ્કેલ બની જાય છે, જેના કારણે આર્થિક સંકટ ઉભું થાય છે. પરંતુ હવે રાજસ્થાનના ખેડૂતોની આ સમસ્યા દૂર થશે સાથે જ રખડતા અને નિરાધાર પશુઓને પણ આશરો મળશે.


પશુપાલકોને ગ્રાન્ટ 


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2022-23માં જ રાજસ્થાન સરકારે તેના બજેટમાં ગ્રામ પંચાયતોમાં ગાય આશ્રય અને પશુ આશ્રયસ્થાનો બનાવવા અને ચલાવવાની જાહેરાત કરી હતી.


આ દિશામાં કામ કરીને રાજસ્થાનમાં ગૌશાળાઓને 9 મહિના માટે અનુદાન આપવામાં આવી રહ્યું છે. આ સાથે પશુપાલકોને દૂધ પર 5 રૂપિયા પ્રતિ લિટરના દરે સબસિડી આપવાની પણ જોગવાઈ છે.


Disclaimer : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. ખેડૂત ભાઈઓ, કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.