અમદાવાદની શાળામાં 8 વર્ષની છોકરીની છેડતીનો કેસઃ જાણો શું આવ્યો અણધાર્યો વળાંક?
એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 27 Apr 2018 03:45 PM (IST)

1
શાહપુરમાં સરકારી શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી 8 વર્ષની સગીરા પર શારીરિક છેડછાડના આરોપ સાથે શાળાના આચાર્ય સુનિલ ડામોર સામે સગીરાના દાદીએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કોર્ટે આરોપીના નાર્કો ટેસ્ટ, લાઈ ડિટેક્શન ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. જેમાં આરોપી નિર્દોષ હોવાનું સામે આવતાં કોર્ટે ફરિયાદી અને પીડિતાના ટેસ્ટ કરાવવાનો હુકમ કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
અમદાવાદઃ શાહપુરમાં આઠ વર્ષની સગીરા પર સ્કૂલના આચાર્ય દ્વારા શારીરિક છેડછાડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ફરિયાદી અને પીડિતાનું બ્રેઇન મેપિંગ, નાર્કો ટેસ્ટ અને લાઈ ડિટેક્શન ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ પ્રકારનો આદેશ કરાયો હોય તેવો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે. ફરિયાદ માત્રથી આરોપ લગાવનારાઓ સામે આ હુકમ લાલબત્તી સમાન છે.