✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શંકરસિંહે 1995માં પણ કહેલું: મારે CM નથી બનવું, પછી શું કરેલું ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2017 11:19 AM (IST)
શંકરસિંહે 1995માં પણ કહેલું: મારે CM નથી બનવું, પછી શું કરેલું ? જાણો
1

એક દિવસ પહેલા શરદ પવારને મળવા ગયેલા બાપુ આ મુલાકાતને વ્યક્તિગત ગણાવી રહ્યા છે, પણ આ ઘટનાને કોંગ્રેસ હાઈકમાન્ડ ગંભીરતાથી લઈ રહી છે. બાપુ શરદ પવાર સાથે મળીને કોઈ ખેલ પાડી દે તેવી શક્યતા નકારાતી નથી. પટેલ-ક્ષત્રિય ધરી રચીને સત્તા કબજે કરવાનાં સપનાં બાપુ જોતા હોય એ શક્ય છે.

2

જો કે બાપુનો સ્વભાવ જોતાં તે મોટો ધડાકો કરવા એક કદમ પાછળ હટ્યા છે. કોંગ્રેસના નેતા માને છે કે, આગામી દિવસમાં જો કોંગ્રેસ મુખ્યમંત્રીના દાવેદારનું નામ જાહેર કરવામાં વિલંબ કરશે તો ભંગાણ નિશ્ચીત છે. બાપુ ખજૂરાહો કાંડનું પુનરાવર્તન કરીને કોંગ્રેસમાં ભંગાણ સર્જી શકે છે.

3

કોંગ્રેસના સિનિયર નેતાઓના મતે ગુજરાત કોંગ્રેસમાં હાલ જૂથબંધી ચરમસીમાએ છે અને બાપુએ સોશિયલ મીડિયામાં પોતાનો મુખ્યમંત્રીપદનો દાવો માંડી દીધો છે તેથી હાઈકમાન્ડ ખફા છે. કોંગ્રેસના બીજા નેતાઓએ કરેલી રજૂઆતના કારણે બાપુને હાઈકમાન્ડના દબાણમાં પોતે રેસમાં નહી હોવાની જાહેરાત કરવી પડી છે.

4

એ વખતે બાપુએ એવું જ કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી બનવા માગતો નથી. અને થોડાંક જ દિવસ બાદ બાપુ ભાજપમાં ભંગાણ સર્જીને 48 ધારાસભ્યો સાથે ખજુરાહો જતા રહ્યા હતા. ભાજપ હાઈકમાન્ડને તેમણે ઘૂંટણિયે પાડ્યું હતું અને કેશુભાઈ પટેલને મુખ્યમંત્રીપદેથી હટાવવાની ફરજ પાડી હતી.

5

વાઘેલાના ટીકાકારો બાપુના ભૂતકાળને યાદ કરાવી રહ્યા છે. 1995માં શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા. એ વખતે બાપુએ સપ્ટેમ્બર, 1995માં તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સામે ખુલ્લી બગાવત કરીને મોરચો માંડ્યો હતો. તેમણે કેશુભાઈને હટાવવાની માગ કરી હતી.

6

અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા 2017ની ચુંટણી માટે બોલાવવામાં આવેલા સંમેલનમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું કે, હું સીએમપદની રેસમાં નથી. વાઘેલાની આ જાહેરાતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે તો બીજી તરફ વાઘેલાના ટીકાકારો આ મામલે કટાક્ષ કરી રહ્યા છે.

  • હોમ
  • અમદાવાદ
  • શંકરસિંહે 1995માં પણ કહેલું: મારે CM નથી બનવું, પછી શું કરેલું ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.