‘પાટીદાર સમજદાર છે, BJPને હરાવવા કહું તો સમજી જાય છે કે કોને વોટ આપવાનો છે’, કોણે આપ્યું આ નિવેદન, જાણો વિગતે
તેણે કહ્યું હતું કે આક્ષેપ કરનારા પાટીદારોના સાચા પ્રતિનિધિઓ નથી. તેણે આ લોકો ભાજપે ઊભા કરેલા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી હાર્દિક પટેલ પર આક્ષેપ લગાવ્યો હતો કે તે પોતાનું પ્રાઈવેટ અનામત આંદોલન ચલાવી રહ્યો છે.
હાર્દિકે આરોપ લગાવ્યો કે વર્ષોથી પાટીદારોની પસંદગી રહેલા ભાજપે તેની અનામતની માગણી અને સ્વીકારીને સમાજને દગો આપ્યો છે.
શું તે કોંગ્રેસ માટે મત માંગશે, એમ પૂછતાં હાર્દિકે જણાવ્યું હતું કે લોકો હોંશિયાર છે, જ્યારે હું તેમને ભાજપને હરાવવા મત આપવાનું કહું છું તો તે સમજી જાય છે કે કોને વોટ આપવાનો છે. સાથે જ તેણે પોતે સોદાબાજી કરી હોવાના આક્ષેપો પણ ફગાવી દીધાં હતાં.
સૌરાષ્ટ્રમાં સભાઓ કરીને અમદાવાદ પરત ફરેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેણે પાટીદારોને ભાજપને વોટ ન આપવા કહ્યું છે અને પાટીદાર સમાજ ભાજપને હરાવવા સમર્થન કરી રહ્યો છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાર બાદ ગુજરાતમાં ભાજપ, કોગ્રેસ અને પાટીદાર સહિતના લોકો આમને સામને જોવા મળી રહ્યા છે ત્યારે એક બીજા પર આક્ષેપો પણ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તાથે ‘સોદાબાજી’ના આરોપ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સપોર્ટ કરવાનું ઈશારા-ઈશારામાં જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -