કોંગ્રેસના નેતાઓની કપિલ સિબ્બલ સાથે કરી બેઠક, અનામત અંગે શું થઈ ચર્ચા, જાણો વિગતે
કપિલ સિબ્બલ દ્વારા ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરીને તેનો અહેવાલ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને સોંપી પણ દેવાયો છે. જેથી હવે આગામી નિર્ણય સોનિયા ગાંધી પર છોડવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસે પોતાના કાયદા નિષ્ણાત કપિલ સિબ્બલને ગુજરાતમાં બિનઅનામત વર્ગને કઇ રીતે અનામત આપી શકાય તે અંગે અભ્યાસ કરવા કહ્યું હતું.
ખાસ કરીને ઓબીસીને 49 ટકા અનામત સિવાય પાટીદારો સહિત બિન અનામત વર્ગને કઇ રીતે અનામત આપી શકાય તે મુદ્દે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી.
સિદ્ધાર્થ પટેલ અને બાબુભાઇ માંગુકિયા દિલ્હી પહોંચ્યા હતા, ત્યારે તેમણે કપિલ સિબ્બલ સાથે બેઠક યોજી અનામત મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટીદાર અનામત મામલે કોંગ્રેસનો પોતાનું વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.
અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત અંગે કપિલ સિબ્બલે અહેવાલ તૈયાર કરી સોનિયા ગાંધીને સોંપ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ કપિલ સિબ્બલ સાથે ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યા હતા. સિદ્ધાર્થ પટેલ અને બાબુ માંગુકિયા દિલ્હીમાં કપિલ સિબ્બલ સાથે પાટીદાર અનામત અંગે ચર્ચા કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -