ભાજપના નેતા ભાનુશાળીની પુત્રીએ ભાજપના ક્યા નેતાને જોઈને ચીસો પાડી કહ્યું : ઇન્સાફ, મારા પપ્પાને ઇન્સાફ જોઈએ..........

જયંતિભાઈનો મૃતદેહ અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવ્યો ત્યારે ભાજપના નેતા અને ભૂતપૂર્વ મંત્રી રમણલાલ વોરા પણ આવ્યા હતા. આશ્ચર્યજનક રીતે વોરાને જોઇ ભાનુશાળીની પુત્રીએ ચીસો પાડી કહ્યું કે, ઇન્સાફ, મારા પપ્પાને ઇન્સાફ, ન્યાય જોઇએ. વોરાએ ભાનુશાળીની દીકરીને સમજાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ કચ્છ જિલ્લાના અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેમનો મૃતદેહ પરિવારને સોંપાયા પછી બુધવારે સવારે અમદાવાદના નરોડા ખાતેના સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધી કરાઈ હતી.

રમણલાલ વોરા સામે જ તેણે આ પ્રકારનું વર્તન કર્યું તેના કારણે હાજર લોકો અને ભાજપના નેતાઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.
ભાનુશાળીના ઘરે ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર.સી.ફળદુ અને નિમાબહેન આચાર્ય આવ્યાં હતાં પણ ભાનુશાળીની દીકરી ખુશાલીએ કોઈની સામે આ પ્રકારનું વર્તન નહોતું કર્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -