✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓને કેમ એક દિવસ વધારે ગરબે ઘૂમવા મળશે ? જાણો રસપ્રદ વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Sep 2016 11:12 AM (IST)
1

નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.

2

જે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.

3

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે. આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.

4

આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.

5

નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.

6

આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.

7

આ વખતે વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે

  • હોમ
  • અમદાવાદ
  • નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓને કેમ એક દિવસ વધારે ગરબે ઘૂમવા મળશે ? જાણો રસપ્રદ વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.