પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું નિધન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2018 10:05 PM (IST)

1
2
નિરંજન ભગતનું અવસાન થતા સાહિત્ય જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નિંરજન ભગતને 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. ૧૯૫૦થી ૧૯૮૬સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજોમાં અંગ્રેજીના અધ્યાપક તથા વિભાગીય અધ્યક્ષ રહી ચુક્યા છે.
3
અમદાવાદ: પ્રખ્યાત કવિ અને ગુજરાતી સાહિત્યકાર નિરંજન ભગતનું 91 વર્ષની વયે ગુરુવારે નિધન થયું છે. નિરંજન ભગત છેલ્લા કેટલાક સમયથી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. ગત રવિવારે ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠક દરમિયાન તેમને બ્રેઈનસ્ટ્રોકનો એટેક આવતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે સાંજે આઠ વાગે ઘરે જ આખરી શ્વાસ લીધા હતા. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.