ભાજપે ક્યા બે ધુરંધરોના મતવિસ્તારો બદલીને આપ્યો મોટો આંચકો ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Nov 2017 02:17 PM (IST)

1
અમદાવાદઃ ભાજપે આજે તેના વધુ 28 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે બહુ મોટાં આશ્ચર્ય જોવા મળ્યાં. ભાજપ આ વખતે વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી સૌરભ પટેલની ટિકિટ કાપી નાંખશે તેવું મનાતું હતું પણ તેના બદલે ભાજપે બંનેની બેઠકો બદલી છે.
2
પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલને બોટાદથી ટિકીટ આપવામાં આવી છે. તેઓ અગાઉ અકોટા સીટ પરથી જીત્યા હતા. તેમને બોટાદથી લડાવાતાં કે.ડી. માણીયાનું પત્તુ કપાયું છે.
3
રમણલાલને વોરાને ઇડરના બદલે દસાડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે પૂનમ મકવાણાની ટિકીટ કપાઇ ગઈ છે.