મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકનાં લવ મેરેજનો ધાર્યો ના હોય એવો આવ્યો કરૂણ અંજામ, જાણો વિગત
શુક્રવારે આખી રાત અનુરાબેગમની લાશ બાથરૂમમાં પડી હતી. રવિ તથા વિક્કીએ અનુરાબેગમના ગળા પર તીક્ષ્ણ હિથયારથી ઘા મારીને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા છે. બન્ને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરોડા પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રવિ- વિક્કી વિરુદ્ધહત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે ચાંદની ઘરે આવી ત્યારે અનુરાબેગમની હત્યા કરી નાખવામાં આવી હતી. ચાંદનીને ખબર પડે નહીં તે માટે તેને ખરીદી કરવાના બહાને બહાર લઇ ગયો હતો.
ચાંદનીએ રવિ તથા દિયરને ફોન કર્યા તો બંનેના ફોન બંધ હતા તેથી તેઓ પરત વિરાટનગર જતાં રહ્યાં હતાં. બીજા દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ ચાંદની તથા બહેન-બનેવી આવ્યાં ત્યારે પણ મકાનને તાળું હતું તેથી તેમણે તાળું તોડી નાખીને ઘરમાં તપાસ કરતાં બાથરૂમમાં લોહીથી લથપથ અનુરાબેગમની લાશ મળી હતી.
મોડી રાત્રે રવિ પાછો ફરતાં ચાંદનીએ તેને માતા અનુરાબેગમ ક્યાં છે તેમ પૂછ્યું હતું. રવિએ તેનાં સાસુ વિરાટનગર સંબંધીના ઘરે ગયાં હોવાનું કહ્યું હતું. રિક્ષામાં બેસી ચાંદની વિરાટનગર પહોંચી પણ ત્યાં તેની માતા ના મળતાં શોધખોળ શરૂ કરી હતી. મોડી રાત્રે ચાંદની તેના બહેન- બનેવી સાથે ઘરે આવતાં ઘરે તાળું હતું.
22 વર્ષીય ચાંદની ચૌહાણની ફરિયાદ પ્રમાણે 21 ડિસેમ્બરે ચાંદની જમવાનું બનાવતી હતી ત્યારે દીકરી પરી રડતાં રવિએ પરીને પલંગમાં ફેંકીને માર પણ માર્યો હતો. ચાંદનીએ તેને રોકતાં તેણે ચાંદનીને પણ મારી હતી. આ ઝગડાને કામણે ચાંદની પરીને લઇને વિરાટનગરમાં સંબંધીના ઘરે જતી રહી હતી.
રવિએ ચાંદનીને જણાવ્યું હતું કે સાસુ અને તેનો પિતરાઈ ભાઈ વિક્કી દવા લેવા માટે ગયાં છે. એ પછી રવિ તરત જ ચાંદનીને બાઇક પર બેસાડીને શોપિંગના બહાને દહેગામ રીંગરોડ પર લઇ ગયો હતો. રાત્રે આઠ વાગ્યાની આસપાસ ચાંદનીને તેણે નરોડા પાટિયા આસપાસ ઉતારી અને પોતે થોડી વારમાં આવે છે એવું કહ્યું હતું.
મોડી રાત્રે ચાંદનીએ તેની માતા અનુરાબેગમ સાફીરખાન પઠાણ (રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ)ને ઝઘડા અંગે કહ્યું અને પાછી ઘરે આવી ગઇ હતી. જમાઇ-દીકરી વચ્ચે સમાધાન કરાવવા 22 ડિસેમ્બરે અનુરાબેગમ અમદાવાદ આવ્યાં હતાં. સાંજે ચાંદની બજારમાંથી ખરીદી કરવા ગઈ પણ ઘરે પહોંચી ત્યારે તેની મમ્મી ઘરે નહોતી.
આ ઘટનામાં હત્યા કરનારો યુવક હિન્દુ રવિ કાલિચરણ ચૌહાણ છે અને તેણે ચાર વર્ષ પહેલાં મુસ્લિમ યુવતી ચાંદની સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બંનેને બે વર્ષની દીકરી પણ છે. મૂળ ઉત્તર પ્રદેશનાં રવિ તથા ચાંદની છેલ્લા 6 મહિનાથી અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કમાં ભાડાના મકાનમાં રહે છે.
અમદાવાદઃ અમદાવાદમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં પ્રેમલગ્ન કરનારા જમાઇ અને દીકરી વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરાવવા આગ્રાથી આવેલાં સાસુનું જમાઇએ ગળું કાપી હત્યા કરી નાખી છે. સાસુનું ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યા પછી લાશને બાથરૂમમાં મૂકી જમાઇ તથા તેનો ભાઇ ફરાર થઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -