આણંદઃ 14 ગાયો, 4 વાછરડાંને કતલખાને લઈ જતી ટ્રક પકડાઈ, જાણો ક્યા હિન્દુવાદી પક્ષનું ચિહ્ન હતું ટ્રક પર?
આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ ખાતે પકડાયેલા બે વાહનોમાં ગૌવંશને ક્રૂરતાપૂર્વક કતલખાને લઇ જતા હોવાનું ખુલ્યું છે. જોકે, આ બન્ને વાહનો અમરેલી અને ભાવનગરથી નીકળ્યાં હતાં. આ વાહનોને અહીં પહોંચતા ભાવનગર, બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય સહિતના પોલીસ મથકો પસાર કરવા પડે છે. પરંતુ તેમની ક્યાંય તલાસી લેવામાં આવી નહતી. તેમાંય બોરસદમાં પકડાયેલી આઈસર કુલ 22 પોલીસ મથકની હદમાંથી પસાર થઇ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસને પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરનું નામ પરેશ મનસુખભાઈ રાઠોડ તથા કંડકટર નાનુભાઈ ભરવાડ જાણવા મળ્યું હતું. બીજા બનાવમાં આંકલાવના ગંભીરા નજીક દેવાપુરાથી પસાર થતી એક ટ્રકને અટકાવીને તલાશી લેતાં ટ્રકમાં ક્રૂરતાપૂર્વક 6 ગાયો અને એક વાછરડાને કતલખાને લઇ જતા બચાવાયા હતા. જેમાં પોલીસે હારુન રાઠોડ, જમાલ દાવત તથા શીરાજ ચાવડાની અટકાયત કરી છે.
આણંદ:આંકલાવ તાલુકાના ગંભીરા નજીક દેવાપુરા પાસેથી ટ્રકમાં તથા બોરસદની આણંદ ચોકડી પાસે આયશર ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક 14 ગાયો અને 4 વાછરડાને કતલખાને લઇ જતાં 5 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમના વિરુદ્ધ આંકલાવ અને બોરસદ ખાતે ફરિયાદ નોંધાઈ છે.
બાતમીના આધારે આયશર ટેમ્પો આવતાં તેને અટકાવીને તલાશી લેતાં ટેમ્પામાં ક્રૂરતાપૂર્વક ગાયો બાંધેલી મળી આવી હતી. જેથી તાત્કાલિક બોરસદ શહેર પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ દોડી આવી હતી. અને ગાયો તથા આયશર ટેમ્પો કબજે લઇને પોલીસે ટેમ્પા ચાલકની પૂછપરછ કરી હતી.
પોલીસે જપ્ત કરેલી આયશર ટેમ્પાને શિવસેનાનું બોર્ડ લગાવીને તેની ફરતે ભગવાનના ફોટા મુકવામાં આવ્યા હતા. આમ શિવસેનાના નામે ટેમ્પામાં ગેરકાયદેસર રીતે ગાયોની હેરાફેરી કરવામાં આવતી હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભાવનગર તરફથી આવી રહેલા એક આયશર ટેમ્પાને પાટીયા વડે બંધ કરીને તેની અંદર 8 ગાયો અને 2 વાછરડાને ક્રૂરતાપૂર્વક બાંધીને લાવવામાં આવી રહ્યા હતા. આ ગાયોને કતલખાને લઈ જવાતી હતી. તેવી બાતમી ગૌરક્ષકો અને જીવદયા પ્રેમીઓને મળી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -